અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન રામ પર ટિકિટોનું એક પુસ્તક જાહેર કર્યું છે. ડિઝાઇનમાં રામ મંદિર, ચૌપાઇ ‘મંગલ ભવન અમંગલ હારી’, સરયૂ નદી અને મંદિરની આસપાસની મૂર્તિ સામેલ છે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने श्री राम जन्मभूमि मंदिर पर स्मारक डाक टिकट और दुनिया भर में भगवान राम पर जारी टिकटों की एक पुस्तक जारी की।
डिजाइन के घटकों में राम मंदिर, चौपाई ‘मंगल भवन अमंगल हारी’, सूर्य, सरयू नदी और मंदिर के आसपास की मूर्तियां शामिल हैं। pic.twitter.com/h2FhCUefst
— ANI_HindiNews (@AHindinews) January 18, 2024
PM મોદીએ રામ મંદિર પર ડાક ટિકિટ જાહેર કરી
PM મોદીએ આ દરમિયાન કહ્યું, “આજે, મને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિયાન દ્વારા આયોજિત અન્ય કાર્યક્રમમાં જોડાવાની તક મળી. આજે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર 6 સ્મારક ટપાલ ટિકિટો અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પ્સનું આલ્બમ બહાર પાડવામાં આવ્યું છે. હું દેશના લોકોને અને વિશ્વભરના તમામ રામભક્તોને અભિનંદન આપવા માંગુ છું…”
#WATCH | Prime Minister Narendra Modi says “Today, I got the opportunity to join another event organised by Shri Ram Mandir Pran Pratishtha Abhiyan. Today, 6 Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and an album of stamps issued on Lord Ram around the world have… https://t.co/cgSOT6MGZy pic.twitter.com/QmdB0PrGrL
— ANI (@ANI) January 18, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “પોસ્ટલ સ્ટેમ્પનું કાર્ય આપણે બધા જાણીયે છીએ પરંતુ પોસ્ટલ સ્ટેમ્પ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોસ્ટલ સ્ટેમ્પ ઇતિહાસ અને ઐતિહાસિક પ્રસંગોને આગામી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ પણ હોય છે.”
આ પણ વાંચો- 2024માં 450થી વધારે સીટો પર લડી શકે છે ચૂંટણી; 2019નો તોડશે રેકોર્ડ!