ભાગલપુર: બિહારના ભાગલપુરથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલના પિયર નંબર 9નું સુપર સ્ટ્રક્ચર ફરી એકવાર તૂટી ગયું છે. આ ઘટના બાદ બિહાર સરકારનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગયો છે, કારણ કે કંપની આગામી કેટલાક મહિનામાં તેને શરૂ કરવાનો દાવો કરી રહી હતી. આવી સ્થિતિમાં જો આ બ્રિજ કાર્યરત થયો હોત તો કેટલો મોટો અકસ્માત સર્જાયો હોત. આની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
વાસ્તવમાં આ પુલ સવારે લગભગ 7.15 વાગ્યે થોડી જ સેકન્ડોમાં નદીમાં પડી ગયો હતો. ક્ષણોમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો પુલ ફરી એકવાર ગંગા નદીમાં ધરાશાયી થઇ ગયો હતો. બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ-અગુનવી ગંગા નદી પર બની રહેલો ફોર લેન પુલ ફરી એકવાર ફરીથી તૂટી પડ્યો છે અને તેની સાથે જ નીતિશ સરકાર દ્વારા વર્ષોથી કરવામાં આવતા વિકાસના દાવાઓ પર ફરીથી સવાલો ઉભા થઈ રહ્યા છે.
Bihar: ₹1,750 Crore bridge collapses in Bihar’s Bhagalpur. The Aguwani Sultanganj Ganga bridge was being constructed in Khagaria.
This was the second Bridge that collapsed.
In December 2022, A bridge built over the river Burhi Gandak in Begusarai district collapsed . “It was… pic.twitter.com/EgomIWV4fJ
— Arun Pudur (@arunpudur) June 4, 2023
જાણો પુલ ક્યારે તૂટી પડ્યો
તમને જણાવી દઈએ કે, અહીં પુલ ધરાશાયી થવાની આ ત્રીજી વખત ઘટના બની છે. પહેલી ઘટના 30 એપ્રિલ, 2022ના રોજ વહેલી સવારે બની હતી, જ્યારે પવનના જોરથી પાયા નંબર 4 અને 6ને જોડતા લગભગ 36 સેગમેન્ટ તૂટી પડ્યા હતા. ત્યારબાદ બીજી વખત 5 જૂન, 2023 ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે, પાયા નંબર 11,12,13 ને જોડતી કેટલીક સુપર સ્ટ્રક્ચર નદીમાં પડી ગઈ હતી. ત્રણ વર્ષમાં આ ત્રીજી ઘટના છે. શનિવારે ત્રીજી વખત પાયા નંબર 9નું સુપર સ્ટ્રક્ચરે ફરીથી ગંગા નદીમાં સમાધિ લઇ લીધી છે.
Jai Ho Bihari, Keep voting BJP & Nitish
A bridge in Bihar committed suicide again.
Super structure of the bridge being constructed on the Ganga river between Sultanganj and Agwani in Bhagalpur at a cost of 1710 crores collapsed.Last year also a part of this bridge had collapsed pic.twitter.com/N8bJ91nJ8O
— Fiza 🇮🇳 (@hoorsheikh_fiza) August 17, 2024
તમને જણાવી દઈએ કે એસપી સિંઘલા કન્સ્ટ્રક્શન કંપની સુલતાનગંજ-અગુવાની વચ્ચે ગંગા નદી પર 1750 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે તે આવતા વર્ષ સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેશે. પરંતુ હવે પુલ ધરાશાયી થવાની ઘટનાએ કંપનીના નિર્માણ કાર્ય પર સવાલો ઉભા કર્યા છે. હવે બ્રિજ કન્સ્ટ્રક્શન કોર્પોરેશને આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે જે સ્ટ્રક્ચર ધરાશાયી થયું તે પહેલા નુકસાન થયેલા ભાગનો એક ભાગ હતો. દરેકને દૂર કરવા સૂચના આપવામાં આવી છે. દૂર કરવા દરમિયાન ક્ષતિગ્રસ્ત ભાગનો એક ભાગ પડી ગયો. કોર્પોરેશનનું કહેવું છે કે ગંગામાં પાણીના વધતા સ્તર અને મજબૂત પ્રવાહને કારણે એક ભાગ પડી ગયો. અહીં કોઈ નવું કામ થતું ન હતું. તમને જણાવી દઈએ કે, 2023માં ક્ષતિગ્રસ્ત થયેલા આગવાની પુલના કેસની તપાસ IIT રૂડકીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.