રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા. બંને નેતાઓ યુક્રેન નેશનલ મ્યુઝિયમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી.
આ પહેલા મોદી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે કિવ પહોંચ્યા હતા. તેઓ અહીં 7 કલાક વિતાવશે. કિવમાં ભારતીય સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યું. PMએ ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી.