ધોરાજી: શિક્ષકનું હાર્ટ એટેકનું મોત નિજપતા પરિવારજનોએ કર્યું ચક્ષુદાન

ધોરાજીની રોયલ સાયન્સ સ્કૂલના શિક્ષક અજયભાઈ પાંચાણીને હાર્ટ અટેક આવતા અવસાન નિપજ્યું હતું. અચાનક થયેલા મૃત્યું પછી તેમના પરિવારજનોએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડતા તેમના ચક્ષુદાન કર્યું હતું. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 290મુ ચક્ષુદાન મળ્યું હતું.

ધોરાજીના જેતપુર રોડ પર આવેલ રોયલ સાયન્સ સ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અજયભાઈ પાચાણી જેતપુરથી સ્કૂલ ખાતે હાજર હોય એવામાં એકાએક ઉલટીઓ થતાં અજયભાઈને રોયલ સાયન્સ સ્કૂલના રાજુભાઈ પેથાણી અને સ્ટાફે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા.

જોકે, હોસ્પિટલના ડોક્ટરે અજય ભાઈને મૃત જાહેર કર્યા હતા. બાદમાં પીએમ બાદ અજયભાઈના પરિવારજનોને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગરભાઇ સોલંકીએ ચક્ષુદાન કરવા અંગે સમજાવ્યા હતા. સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીએમ ડોક્ટર નિકુંજ ચોવટીયા મેડિકલ ટીમના દીપક ભાસ્કર અને પ્રતિક કનોડીયા સહિતનાઓએ ચક્ષુદાનની કામગીરી જેતપુરના સ્મશાન ગૃહ ખાતે વિશાળ સંખ્યામાં સ્વજનની હાજરીમાં ચક્ષુદાન કરવામાં આવ્યું. હતું.

મૃતક અજયભાઈના પુત્ર આતકના હાથે ચક્ષુદાન કર્યું હતું. આ દરમિયાન શક્તિભાઈ પાચાણી હરસુખભાઈ કથીરિયા જેનીશભાઈ ભાલારા શિક્ષણવિદ રાજુભાઈ પેથાણી ધીરુભાઈ પેથાણી વિમલભાઈ કોયાણી ભુપતભાઈ પાદરીયા જીગ્નેશભાઈ ચાવડા હિતેશભાઈ વૈષ્ણવ યોગેશભાઈ માવાણી વિપુલભાઈ અશ્વિનભાઈ રાબડીયા તેમજ સ્વજનો અને રોયલ સ્કૂલ સ્ટાફ પરિવાર સહિતના લોકો હાજર રહેલા હતા.

આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી જેતપુરના પાંચાણી પરિવારની સેવાઓને બિરદાવી ને સ્વ અજયભાઈ ને શ્રદ્ધા સુમનઅર્પણ કર્યા હતા. માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે 290મુ ચક્ષુદાન મળેલ છે. ધર્મેન્દ્ર બાબરીયાએ કહ્યું હતું કે, ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહ દાન ચક્ષુદાન અને સ્કિન ડોનેશન માટે 98 98 70 17 74 અને 98 98 71 5775 તેમજ સરકારી હોસ્પિટલ ધોરાજી 028 24-220139 પર સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ.