- હવે ગુજરાત પોલીસને ઘી કેળા; 1 લાખથી અંદરની દારૂ વેચવાની આડકતરી રીતે ગેરકાયદેસર પરમિશન
ગાંધીનગર: ગુજરાતમાં દારૂનું નામ આવે અને પોલીસની ક્યાંક ખંડણી હોય એવું અનેક વખત સામે આવે છે, ત્યારે આ સમગ્ર મામલે અગાઉ પોલીસ દ્વારા ખાતાકીય ઇન્કવાયરી કરવામાં આવતી હતી. તેમાં પણ ખાસ કરીને ખાતાકીય ઇન્કવાયરી પોલીસ સામે પોલીસ જ કરતી હતી. પરંતુ હવે તેમાં થોડો બદલાવ થયો છે. તેમાં પણ ખાસ કરીને જે દારૂની રકમ હોય તેના આધારે ખાતાકીય ઇન્કવાયરીમાં નવો સુધારો કરવામાં આવ્યો છે. પહેલા 5000થી 25000 સુધીનો દારૂ પકડાય ત્યારે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સામે ઇન્કવાયરી કરવામાં આવતી હતી, જે હવે એક લાખ અને અઢી લાખ જેટલી દારૂની રકમ હશે ત્યારબાદ ખાતાકીય ઇન્કવાયરી કરવામાં આવશે.
આ સમગ્ર નવા પરિપત્ર થવા પાછળ ઘણા અધિકારીઓને ગૃહ વિભાગ દ્વારા લાંબા સમયથી વિચારણા કરવામાં આવી રહી હતી અને એક કારણ એવું પણ સામે આવી રહ્યું હતું કે, આ પ્રક્રિયાના કારણે જે પોલીસ સામે ઇન્કવાયરી થઈ રહી છે, તેમાં ઘણા સમયે લાગે છે અને ઘણા સમયે આ તપાસોમાં જાય છે. બીજી તરફ સરકારી સ્ટેશનરી અને મશીનરીનો પણ વધુ ઉપયોગ થાય છે, ત્યારે આ સમગ્ર કાર્યવાહી મોટા સ્તરે અને મોટા જવાબદાર લોકો સામે કરવામાં આવે અને જેના કારણે આખી વ્યવસ્થા ઓછા ભારણવાળી બને તે માટે આયોજન કરવામાં આવવું જોઈએ.
હવે તેમાં સુધારો કરીને આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સિનિયર આઇપીએસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે અગાઉ જે ક્વોલિટી કેસની ઇન્કવાયરી ચાલી રહી છે, તે એ પ્રમાણે ચાલશે. પરંતુ હવે જે નવા ક્વોલિટી કેસ થશે, તેના ધારા ધોરણ બદલાયા છે અને તે નવી પ્રક્રિયા પ્રમાણે પૂર્ણ થશે.
આમુખમાં દર્શાવેલા ઠરાવના પારા-3માં નશાબંધી ધારાના ભંગ બદલ શોધાયેલા કેસને ગણનાપાત્ર કેસ ગણવા માટે નિયત કરેલા નોર્મ્સમાં રેડ દરમિયાન પકડાયેલ દેશી દારુ, વિદેશી દારુ અને નશીલા પદાર્થના મુદ્દામાલની જે કિંમત મર્યાદા તથા દેશી દારુના મુદ્દામાલમાં પકડાયેલા દેશી દારુની કિંમત, વોશ કે દેશી દારુની બનાવટના માટેનો કાચો માલ-સામાન, દારુ બનાવવા માટેનો પકડાયેલા તમામ સાધનોની કિંમત ધ્યાને લેવાનું ઠરાવેલું છે.
ગણનાપાત્ર કેસ માટે દેશી દારુની કિંમત રૂ. 15000 કે જેમાં પકડાયેલા વોશની કિંમત સાથે પકડાયેલા દેશી દારુની કિંમત ધ્યાને લેવી. વિદેશી દારુની કિંમત રૂ. 25000/- કે જેમાં ફક્ત પકડાયેલા વિદેશી દારુની કિંમત ધ્યાને લેવી, અને નશીલા પદાર્થના કેસ માટે રૂ. 25000ની કિંમતના નશીલા પદાર્થનો મુદ્દામાલ ધ્યાને લેવાનો રહેશે.
નવો પરિપત્ર
રાજ્ય સરકાર નશાબંધી નીતિને વરેલી છે અને તે માટે નશાબંધી અધિનિયમ, 1949નો રાજ્યમાં વ્યવસ્થિત અને કડક રીતે અમલ થાય તે આવશ્યક અને અનિવાર્ય છે. આ બદી નાબૂદ કરવામાં સુપરવાઈઝરી અધિકારીઓ સહિતના જે સ્થાનિક પોલીસ ખાતાના અધિકારીઓ ઉદાસીનતા, નિષ્ક્રિયતા કે બિન કાર્યક્ષમતા દાખવે તેવાં સંબંધિત અધિકારી/કર્મચારીઓ વિરૂદ્ધ ખાતારાહે પગલાં લેવા તથા તેમના ખાનગી અહેવાલમાં વિરુદ્ધ નોંધ લેવા અંગેની સંકલિત સૂચનાઓ વંચાણે લીધેલા ક્રમાંક(1) ના ઠરાવથી અમલમાં છે.
વંચાણે લીધેલા ક્રમાંક(2)થી ગણનાપાત્ર કેસ માટે દેશી દારૂ, વિદેશી દારૂ અને નશીલા પદાર્થની નવી કિંમત મર્યાદા નિયત કરેલી છે. વંચાણે લીધેલ ક્રમાંક(3) ની પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીની દરખાસ્ત અન્વયે ગણનાપાત્ર કેસોની રકમની સમીક્ષા કરી કાળજીપૂર્વક વિચારણાને અંતે વંચાણે લીધેલ ક્રમાંક(2) ના તા.15/09/2005ના સુધારા ઠરાવ નિયત કરેલી કિંમત મર્યાદાને બદલે કિંમતો નિયત કરવામાં આવી છે.