દમણઃ ગાંધીજ્યંતી નિમિત્તે પ્રિન્સેસ પાર્કથી 6 કિમી દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

Gandhi Jayanti a cleanliness campaign in daman

આજે ગાંધીજ્યંતી નિમિતે આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે ત્યારે  દાદરા, નગર હવેલી અને દમણ દીવ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ સ્વચ્છતામાં જનભાગીદારી અને જાગૃતિનો પ્રચાર કરવા માટે વિશાળ બીચ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિન્સેસ પાર્કથી સમુદ્ર નારાયણ મંદિરના 6 કિમી દરિયા કિનારે આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. પ્રશાસક પ્રફુલ પટેલ સ્વચ્છતા અભિયાનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકાર સહિત લગભગ 6000 લોકો સામેલ હતા. સત્તાવાળાઓ, સમુદાયના આગેવાનો, સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ સામેલ હતી.

જેમણે સ્વેચ્છાએ ભાગ લીધો અને સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બીચ સફાઈના આ વિશાળ અભિયાનથી સ્થાનિક લોકોને મદદ મળી. અને યુવાનોને સ્વચ્છતાની તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દાદરા,નગર હવેલી અને દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલ અને તમામ સહભાગીઓએ સાથે મળીને બીચ પરથી પ્લાસ્ટિકનો કચરો અને અન્ય કચરો એકઠો કરી ગંદકી દૂર કરવામાં આવી હતી, જેથી બીચની સુંદરતામાં વધુ વધારો કર્યો હતો.

નદી અથવા અન્ય કુદરતી પાણીના સ્ત્રોતને કુદરતી રીતે સ્વચ્છ રાખવું અને પાણીના સ્ત્રોતના કિનારાઓ વધુ સારી કચરો વ્યવસ્થાપન વ્યવસ્થા ઘડી કાઢવાની જરૂર છે. આ પ્રસંગે જિલ્લા પ્રશાસને પણ તમામ નાગરિકોને તેમની આસપાસના વિસ્તારમાં નિયમિત સાફસફાઈ રહે તેવુ જણાવ્યું હતું, અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ સ્વચ્છતા અભિયાનનો માત્ર એક દિવસ છે. તેવુ કોઈએ માનવુ નહીં આ એક દિવસનો પ્રયાસ નથી, પરંતુ તેને આપણા જીવનનો એક ભાગ બનાવવો જરૂરી છે.